Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ટયુનિશીયા કીનારા પર પ્રવાસીઓથી ભરેલી નાવ પલ્ટી ગઇઃ ૮૦ લોકોના મૃત્યુની આશંકા

         ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનએ બતાવ્યુ છે કે ઉતર આફ્રીકી દેશ ટયુનિશિયાના સમુદ્ર કિનારા પર બુધવારના મોડી રાત્રે યૂરોપની તરફ જઇ રહેલ પ્રવાસીઓથી ભરેલી નાવ પલ્ટી ગઇ જેમાં ૮૦ થી વધારે લોકોના મરવાની આશંકા છે.

         આ બધા પ્રવાસીઓ લીબિયાથી યૂરોપ જઇ રહ્યા હતા અને મે ર૦૧૯ માં  પણ ૬પ લોકો ડૂબી ગયા હતા.

(12:18 am IST)