Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

હોંડુરાસમાં માછલી પકડતું જહાજ ડૂબી જતા 27ના મોત: 9 લાપતા

નવી દિલ્હી: હોંડુરાસની સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કૈરેબિયન સાગરમાં ખરાબ વાતાવરણના કારણે માછલી પકડતું એક જહાજ સમુદ્રમાં ડૂબી જવાના કારણે ઓછામાં ઓછા 27 માછીમારો મોતને ભેટ્યા છે વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં હજુ 9 નાવિકો લાપતા છે જેમની શોધખોળ ચાલી રહી છે. બુધવારના રોજ તટ પરથી લગભગ 40 સમુદ્રી મિલ દુરી પર આ જહાજ ખરાબ વાતાવરણના કારણે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું જેમાં 27 નાવિકો મોતને ભેટ્યા છે.

(6:06 pm IST)