Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

અફઘાનિસ્તાનમાં 17 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના જાંબુલ પ્રાંતના શાહજોય જિલ્લામાં આતંકવાદી સંગઠન તાલિબાનની જગ્યા પર કરવામાં આવેલ હવાઈ હુમલામાં  17 આતંકવાદી મોતને ભેટ્યા છે.સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 17 આતંકવાદીઓને  મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે   સોમવારના રોજ કરવામાં આવેલ  આ હુમલામાં 15 આતંકવાદીને પણ ગંભીર રીતે ઇજા પહોંચી છે આ દરમ્યાન  આતંકવાદીઓની પાંચ મોટરસાયકલને નષ્ટ કરી દેવામાં આવી છે.

(6:37 pm IST)