Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

સુદાનમાં લોકતંત્રના સમર્થનમાં હજારો લોકો સડક પર ઉતરી આવ્યાઃ પ્રદર્શન દરમ્યાન ૭ લોકોના મોત

સૂદાનમાં લોકતંત્રની માંગ કરી રહેલ પ્રદર્શનકારીઓની શિબીરો પર  જૂનમા થયેલ સૈન્ય હુમલામાં ૧ર૮ લોકો માર્યા ગયા હતા.

રવિવારના રાજધાની ખરતુમ માં હજારો લોકો સડકો પર ઉતરી આવ્યા હતા.  જો કે આ દરમ્યાન વિભિન્ન કારણાએથી  ૭ પ્રદર્શનકારીઓના મોત થયા અને ૧૮૧ અન્ય ઘાયલ થયા છે.  જેમાં ર૭ લોકોને ગોળીઓ લાગી છે.

સુદાનમાં સેનાએ એપ્રીલમાં સતા પલટ કરી હતી.

(12:14 am IST)