Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

બે મહિનામાં 12 કરોડથી વધુની આવક :સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 5, 29 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

લોકાર્પણને બે મહિના પૂર્ણ :રોજ હજારો પ્રવાસીઓ ઉમટે છે

નર્મદા :સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળે રોજ હજારો પ્રવાસીઓ ઉમટી પડે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને 31 ડિસેમ્બરે બે મહિના પૂર્ણ થયા છે.આ દરમિયાન બે મહિનામાં 5,29,279 પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે જેમાં  સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 12 કરોડ 8 લાખ 58 હજાર 391 રુપિયાની આવક થઈ છે

  અત્રે ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈની જન્મ જયંતીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું પવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કર્યું હતું.
   સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આ મહિને 2,50,113 પ્રવાસીઓ આવ્યા છે. જેમાં સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને આ મહિને અંદાજે 5 કરોડ 70 લાખ રુપિયાની આવક થઈ છે. જ્યારે નવેમ્બર મહિનામાં 2,79,166 પ્રવાસીઓ મુલાકાતે આવ્યા હતા. આ મહિને 6 કરોડ 38 લાખ 57 હજાર રુપિયાની આવક થઈ હતી. આમ બે મહિનામાં કુલ આવકનો આંડકો 12 કરોડ રુપિયાને વટાવી ગયો છે

(10:44 pm IST)