Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

કુંવરજીભાઇ બાવળિયા પહોચ્યા દિલ્હી: વડાપ્રધાન સાથે મુલાકાત :અનેક અટકળો :લોકસભા લડાવાશે ?!

પીએમ મોદીએ જસદણ બેઠક પરથી વિજયી થવા માટે અભિનંદન પાઠવ્યા

અમદાવાદ: જસદણ બેઠકથી પેટા ચૂંટણીમાં વિજેતા થયેલ કુવરજી બાવળિયા તમામ કાર્યક્રમો રદ કરીને દિલ્હી પહોચ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી જેને લઈને અનેક તર્ક વિતર્ક શરુ થયા છે એવું માનવામાં આવી રહ્યું છે, કે કુવરજી બાવળિયાને લોકસભાની ટીકીટ પણ મળી શકે છે. વડાપ્રધાન મોદીએ તેમને જસદણ બેઠક પરથી વિજયી થવાને લઇને અભિનંદન પાઠવ્યા હતા. 

  કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને બાવળિયાએ ભાજપમાં જોડાયા અને તરત જ મંત્રી પદ આપતા તેમનું કદ વધ્યું હતું. ત્યારે ગુજરાતની સૌથી વધારે ચર્ચીત પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવતા બાવળિયાની રાજકીય કારકીર્દીમાં વધારે સારી થાય તેવા એધાંણ દેખાઇ રહ્યા છે. અને હવે લોકસભાની ચૂંટણીમાં વધારાની જવાબદારી પણ મળી શકે છે.

(10:30 pm IST)