Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

આણંદ નજીક કરમસદમાં લફરાબાજ પતિએ શારીરિક માનસિક ત્રાસ ગુજારી કાઢી મુકતા પોલીસ ફરિયાદ

આણંદ: નજીક આવેલા કરમસદ ખાતે રહેતી એક પરિણીતાને તેના લફરાબાજ પતિ અને સાસુ-સસરા દ્વારા ઘરના કામકાજ તેમજ દહેજના મામલે ત્રાસ ગુજારીને પુત્ર સાથે કાઢી મૂકતાં આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર ફરિયાદી કિંજલબેનના લગ્ન અમદાવાદના પાલડી ખાતે રહેતા આકાશભાઈ રમેશભાઈ જાની સાથે થયા હતા. શરૂનું એક વર્ષ સુખરૂપ ચાલ્યા બાદ એક દિવસ પતિનો મોબાઈલ ફોન ચેક કરતાં તેમના બેડરૂમમાં એક પરસ્ત્રી સાથેનો વીડીયો જોવા મળ્યો હતો. જેથી કિંજલબેનને પતિના પ્રેમસંબંધોની જાણ થતાં જ તેણીએ ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા પતિએ ગમે તેવી બીભત્સ ગાળો બોલીને મારે અન્ય સ્ત્રીઓ સાથે સંબંધો ચાલુ જ રહેશે, જો તારે રહેવું હોય તો નોકરાણી તરીેકે રહેવું પડશે તેમ જણાવ્યું હતુ. જેથી આ બાબતે સાસુ જ્યોતિબેન અને સસરા રમેશભાઈને જાણ કરતાં તેઓ દ્વારા પણ પતિના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધોની વાત માનવાને બદલે પરિણીતા પાસે ઘરના કામકાજમાં વાંક કાઢીને તેમજ દહેજની માંગણી કરીને ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. પોતાનું લગ્નજીવન નંદવાઈ ના જાય તે માટે પરિણીતા બધો ત્રાસ સહન કરતી હતી. 

 

(5:47 pm IST)