Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

અમદાવાદ કાંકરિયા કાર્નિવલમાં વિખુટા પડેલા ૪૩ બાળકો અને ત્રણ વૃધ્ધાનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

કાર્યક્રમ દરમિયાન ૩૪ દારૂડિયાને ઝડપી પાડયા હતા.

અમદાવાદ :કાંકરિયા કાર્નિવલ ઉજવણીમાં છેલ્લા પાંચ દિવસસમાં ૪૩ બાળકો અને ત્રણ વૃધ્ધા વિખૂટા પડી ગયા હતા. પોલીસે તમામને શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જ્યારે કાર્નિવલમા કાર્યક્રમ દરમિયાન ૩૪ દારૂડિયાને ઝડપી પાડયા હતા.

  ૨૫ ડિસેમ્બરથી કાંકરિયા ખાતે કાર્નિવલનો પ્રારંભ થયો હતો છેલ્લા પાંચ દિવસમાં અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાંથી અસંખ્ય લોકો પરિવાર સાથે કાર્નિવલમાં વિવિધ કાર્યક્રમો નીકળવા આવ્યા હતા. જેમાં ૪૩ ભૂુલકા અને ત્રણ વૃધ્ધા પરિવારથી વિખૂટા પડી ગયા હતા. પોલીસ કન્ટ્રોલરૃમને જાણ કરતાં પોલીસે તમામને ગણતરીના કલાકમાં શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

  બીજીતરફ અમદાવાદમાં થર્ટી ફસ્ટને લઇને પોલીસ દારૃબંધીના કડક અમલના દાવા કરી રહી છે ત્યારે કાંકરિયા કાર્નિવલમાં પાંચ દિવસમાં ૩૪ દારૂડિયા ઝડપાયા હતા.

(1:20 pm IST)