Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ભરૂચના પાલેજ નજીક અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીઓને ટક્કર મારતા 2ના કમકમાટીભર્યા મોત:ફરાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

ભરૂચ: શહેરના પાલેજ નજીક અજાણ્યા વાહનચાલકે પદયાત્રીઓને ટક્કર મારી હતી. પદયાત્રીઓને ટક્કર માર્યા બાદ વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અજાણ્યા વાહનની ટક્કરથી 2 પદયાત્રીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે એકને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. ભરૂચ હાઈવે પર સર્જાયેલ આ અકસ્માત મામલે પાલેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને ટક્કર મારીને ફરાર થઈ ગયેલ અજાણ્યું વાહન કયું હતું અને તેનો ડ્રાઈવર કોણ હતો તે મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

(5:20 pm IST)