Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સુરતના કોસંબા નજીક તરસાલી ગામના પાંચ યુવાનો નારેશ્વર ખાતે નદીમાં ડૂબ્યા: 2ના કમકમાટીભર્યા મોત: 3નો આબાદ બચાવ

વડોદરાઃ સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 5 યુવાનો નારેશ્વર ખાતે નર્મદા નદીમાં ડૂબ્યા હતાં. જેમાંથી 2 યુવાનના મૃતદેહ મળ્યા હતા. જ્યારે 3 યુવાનનો બચાવ થયો હતો. સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 8 યુવાનો કરજણ નજીક આવેલા નારેશ્વર ખાતે બપોરે 12 વાગ્યાની આસપાસ નર્મદા નદીમાં નહાવા માટે પડ્યા હતા. આ સમયે અચાનક જ 5 યુવાનો ડૂબવા લાગ્યા હતા. જે પૈકી 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ બે યુવાન ડૂબી ગયા હતા. ભારે શોધખોળ બાદ બંનેના મૃતદેહ નર્મદા નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

(5:17 pm IST)