Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

વડોદરા રેલવે સ્ટેશન નજીક ગરનાળા પાસે બે બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક શ્રમજીવીનું મૃત્યુ

વડોદરા:રેલવે સ્ટેશન પ્રિયલક્ષ્મી મિલના ગરનાળા  પાસે ૨૭ દિવસ પૂર્વે બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં એક શ્રમજીવીનું મોત થયું હતુ. ગઈકાલે સયાજીગંજ  પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત બનાવ અંગે ગુનો દાખલ થયો છે.

દાહોદ જિલ્લાના સરઝુમી ગામે રહેતા ૫૦ વર્ષના ગોપાલભાઈ કલાભાઈ કિશોરી હાલમાં ન્યૂ વીઆઈપી રોડ ભરવાડવાસમાં રહે છે. અને કડિયાકામની મજૂરી કરે છે. ગત ૨જી જુલાઈએ ગોપાલભાઈ કિશોરી તથા તેમના ગામના રમણભાઈ માનસીંગભાઈ ડામોર (..૫૦ ) ગોરવા મજૂરી માટે ગયા હતા. રાત્રે રેલવે સ્ટેશન પર જમીને ગોપાલભાઈ તથા રમણભાઈ બાઈક પર જતા હતા. ગોપાલભાઈ બાઈક ચલાવતા હતા. રેલવે સ્ટેશન પ્રિયલક્ષ્મી મિલના ગરનાળા પાસે સામેથી આવતી બાઈકના ચાલકે ગોપાલભાઈની બાઈક સાથે એકસીડન્ટ કરતાં ગોપાલભાઈ રમણભાઈ તથા અજાણ્યા બાઈકચાલકને ઈજા પહોંચી હતી અને ત્રણેયને  સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

(6:43 pm IST)