Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

અમદાવાદના મીઠાખલીમાં અગમ્ય કારણોસર કાપડના વેપારીએ બિલ્ડીંગ પરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

અમદાવાદ:મીઠાખલીમાં રહેતા અને કાપડનો વ્યવસાય કરતા વેપારીએ વસ્ત્રાપુરમાં બિલ્ડીંગ પરથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. વેપારીએ શા માટે આ પગલું ભર્યું તે અંગે વસ્ત્રાપુર પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ બનાવની વિગત મુજબ મીઠાખળીમાં પંચરત્ન બિલ્ડીંગમાંરહેતા અનિલભાઈ હસ્તીમલ શાહે (૫૧) ૨૯ જુલાઈના રોજ વસ્ત્રાપુરમાં આલ્ફા વન મોલની સામે આવેલા આમ્રપાલી લેક વ્યુ બિલ્ડીંગ પરથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી.

(5:26 pm IST)