Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અમદાવાદમાં વન મહોત્સવની ઉજવણી:જડેશ્વર મંદિરે બીલીના વૃક્ષો વવાયાં : તળાવ બનાવાશે

અમદાવાદ ;રાજ્યભરમાં  ઉજવાતા 69માં વનમહોત્સવની અમદાવાદમાં ઉજવણી થઈ છે. અમદાવાદમાં નવા ઓઢવ વિસ્તારમાં જડેશ્વર મહાદેવ મંદિર પાસે વન મહોત્સવની ઉજવણી થઈ છે. જ્યાં 100 જેટલા બીલીના વૃક્ષો વાવવામાં આવ્યા તેમજ તેને જડેશ્વર વનનું નામ આપવામાં આવ્યુ છે.

  સાથે જ કુદરતી અને સુંદર વાતાવરણ બને તે માટે વનમાં તળાવ બનાવવાની પણ જાહેરાત થઈ છે. જડેશ્વર મંદિર પાસે 200 કરોડની જમીનની માંગ કરવામાં આવી હતી.અને મહાપાલિકાએ તે જમીન આપી પણ છે. આ વિસ્તારને વન તેમજ પર્યાવરણ પ્રધાને વન બનાવવાની મંજૂરી પણ આપી છે.

(12:34 am IST)