Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

સુરતમાં રીક્ષા ચાલકે લૂંટના ઇરાદે ઈસમની હત્યા કરી હોવાનો ભેદ ખુલ્યો

સુરત: સૃષ્ટિ વિરૃદ્ધનું  કૃત્ય કરી શિકારની હત્યા કરતા માનસિક વિકૃત રીક્ષાચાલક અને તેના સાગરિતનો કબજો ક્રાઇમ બ્રાંચે અમરોલી પોલીસ પાસેથી મેળવી બંનેના ચાર દિવસના  રિમાન્ડ મેળવ્યા છે. બંનેએ લૂંટના ઇરાદે ત્રણ હત્યા, એક બાળક સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય અને હત્યાના પ્રયાસ મળી વધુ પાંચ ગુના આચર્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ અને કાપોદ્રા વિસ્તારમાં વિતેલા એક વર્ષ દરમિયાન ત્રણ વ્યક્તિ સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું  કૃત્ય કરી તેમની ઘાતકી હત્યા કરનાર તેમજ એક તરૃણનું અપહરણ કરી તેની સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરનાર માનસિક વિકૃત રીક્ષાચાલક અજય ઉર્ફે ડાહ્યો ઉર્ફે ડબ્બી ડાહ્યાભાઇ જાદવ અને તેના સાગરિત રવિ ભીખુભાઇ નાયકાની અમરોલી પોલીસે ધરપકડ કરી ૩૦મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.
 

(5:36 pm IST)