Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

પાવાગઢ નજીક તળાવમાંથી મૃતદેહ તરતો મળી આવતા તપાસ હાથ ધરાઈ

હાલોલ:પાવાગઢ પાસે વડાતળાવમાં આજે સવારે એક મૃતદેહ તરતો મળી આવતા પાવાગઢ પોલીસને જાણ કરાઇ હતી અને તે પછી તળાવને ખૂંદી કાઢી બીજી બે લાશ શોધી કાઢવામાં આવી હતી. તળાવની પાસે સ્કૂટર અને પગરખા પડેલાં મળી આવ્યા હતા અને મૃતક ત્રણ પૈકી એકનું ઓળખપત્ર મળી આવતા એક પછી એક ત્રણેની ઓળખ પ્રસ્થાપિત થઇ હતી. તમામ વડોદરાના રહીશ હોવાનું જણાયંપ હતું.  તપન અને વૈભવ નામન બન્ને મિત્રો વડોદરામાં રાવપુરાના રહીશ હતા અને નવલખી ખાતે આવેલા પાનના ગલ્લા ખાતે મળતા હતા. જેથી પાનની દુકાન ચલાવતા ગજમલ સોનુ સાથે દોસ્તી સંબંધ હોવાથી આ ત્રણે  રવિવારે બપોરે વડોદરાથી એક સ્કુટર પર સવાર થઇ પાવાગઢ વડાતળાવ ખાતે આવ્યા હતા.
 

(5:32 pm IST)