Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

આણંદમાં તળાવમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર

આણંદ સીટીમાં આવેલ જહાંગીરપુરા તળાવમાંથી એક નવજાત શીશુ મળી આવ્યું હતું. બાળકનો મૃતદેહ પાણી પર તરતો દેખાતા સરપંચ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આ ઘટનામાં તપાસના દોર શરુ કર્યા હતા. જેમાં એક મજુરી કરતી મહિલાએ તેના પ્રેમી સાથે રચાયેલ પ્રણયમાં એક દિકરાને જન્મ આપ્યો હતો. આ દિકરો લોકો જોતા જ તેમને તેમના પ્રેમ પ્રકરણની જાણ થઈ જશે તેમ વિચારી કળીયુગી માતાએ પોતાના નવજાત બાળકને પાણીમાં ફેંકી દીધું હતું. આ ઘટનામાં પોલીસે બંન્ને પ્રેમીઓને ઝડપી કોર્ટમાં રજુ કરતાં જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. આણંદમાં થોડા દિવસ પહેલા જહાંગીરપુરા તળાવમાં એક નવજાત બાળક મળી આવ્યાની વાતે ચકચાર મચાવી હતી. આ બાળકને દેખતા જ સરપંચે આણંદ સીટી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે બાળકને પાણીની બહાર કાઢી આગળની કડક કાર્યવાહી હાથધરી હતી. આ ઘટનામાં જહાંગીરપુરામાં રહેતી શહેનાઝબાનું ઉર્ફે પ્રેરણા ઈર્સાદ મહંમદ પઠાણ  અને રાકેશ બુધાભાઈ જાદવ વચ્ચે પ્રેમ સબંધો હતો. 
 

(5:31 pm IST)