Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

નડિયાદ તાલુકાના ચલાલીમા ફર્નિચર બનાવવાનું કહી ઈસમ પાસેથી 25 હજારની છેતરપિંડી કરી

નડિયાદ:તાલુકાના ચલાલીના ત્રણ ઈસમોએ મકાનમાં ફર્નીચર બનાવવાનું છે તેમ કહી અમદાવાદના ઈસમને બોલાવી રૂપિયા ૨૫૦૦૦ ઉછીના લઈ છેતરપીંડી કર્યાના બનાવ અંગે ચકલાસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ચલાલીમાં રહેતા લાલાભાઈ છોટાભાઈ તળપદાએ ગત તા.૨૨-૭-૧૮ના રોજ ઓઢવ અમદાવાદમાં રહેતા શ્યામનારાયણ રામસુરેશ શર્માને બોલાવી પૂર્વયોજીત કાવતરૂ રચી જણાવ્યું હતું કે મારા બંગલામાં ફર્નીચર બનાવવાનું છે તેમ કહી ચલાલી વગડામાં બંગલો બતાવવા લઈ ગયો હતો. આમ મોટી રકમનું ફર્નીચર બનાવવાની લાલચ આપી શ્યામનારાયણને વિશ્વાસમાં લઈ તેની પાસેથી રૂપિયા ૨૫૦૦૦ ઉછીના લીધા હતા. બાદમાં ફર્નીચર ન બનાવડાવી ઉછીના પૈસા પરત ન આપી વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી. 
આ અંગે શ્યામનારાયણ રામસુરેશ શર્માની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે લાલાભાઈ છોટાભાઈ તળપદા, લાલજીભાઈ બેચરભાઈ તેમજ વિશાલ તળપદા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:23 pm IST)