Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

આંતરિક જુથબંધીના કારણે કોંગ્રેસ તુટે છે : ભરત પંડ્યા

નવરાત્રિ દેશવિદેશમાં સંસ્કૃતિની ઓળખ છેઃ કોંગ્રેસ જેએનયુમાં દેશ વિરોધી કાર્યક્રમોનો વિરોધ કરતું નથી ત્યારે નવરાત્રિમાં કાર્યક્રમોનો વિરોધ ઃ ભરત પંડ્યા

અમદાવાદ,તા.૩૦: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખએ ભાજપ પર આક્ષેપ કરતાં પહેલા મુરબી માધવસિંહએ જન્મદિવસ નિમિત્તે જે સલાહ આપી છે તેને ધ્યાનમાં લેવી જોઈએ. તેઓએ સ્પષ્ટ કીધું છે. જૂના નેતાઓનું સ્થાન લઈ શકે તેવાં કોઈ નેતા હાલ કોંગ્રેસમાં દેખાતા નથી અને કોંગ્રેસે પ્રજાના પ્રશ્નોમાં ધ્યાન આપવું જોઈએ. આ ટકોરમાં જ સ્પષ્ટ થાય છે. હાલની કોંગ્રેસની નેતાગીરી નબળી છે અને કોંગ્રેસ માત્ર આંતરીક જથબંધીમાં કાર્યરત છે. પ્રજાના પ્રશ્નોમાં અને પ્રજાલક્ષી કાર્યક્રમોમાં ધ્યાન આપતી નથી. પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની નેતાગીરીને દુઃખે છે પેટ અને કુટે છે માથું કોંગ્રેસના તુટવામાં કોંગ્રેસના જ નેતૃત્વની નિષ્ફળતા અને આંતરીક જૂથબંધી જવાબદાર છે. તેમાં ભાજપને દોષ દેવો યોગ્ય નથી. કોંગ્રેસ ૨૧ રાજ્યોમાં હતી પ્રજાવિમુખથી હવે માત્ર ૪ રાજ્યોમાં રહી છે. ગુજરાતમાં જનતાના આશિર્વાદ અને જનમતની સતત છઠ્ઠીવાર ભાજપ વિજળી બન્યું છે. તેનાં પછી દરેક પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો અને હવે પંચાયતોના હોદ્દેદારોની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધીઓ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ થઈને કોંગ્રેસ વિમુખ થતાં જાય છે કોંગ્રેસે ૭ જીલ્લા પંચાયત અને લગભગ ૨૮ જેટલી તાલુકા પંચાયત ગુમાવીને કોંગ્રેસ પોતાના ભારથી જ તુટી રહી છે ત્યારે ભાજપ ઉપર ખોટા આક્ષેપો કરવાને બદલે પોતાની પાર્ટીમાં ધ્યાન આપે. પંડ્યાએ જણાવ્યું હતું કે, નવરાત્રી વેકેશનએ વાલીઓ અને વિદ્યાર્થીઓની લાગણી-માંગણી હતી. તમામ યુનિવર્સિટીઓ પણ કુલપતિઓની બેઠકમાં નિર્ણય કરી એકેડેમીક કેલેન્ડરમાં વ્યવસ્થા કરેલ છે. ભણતરના દિવસો બગડવાના નથી. નવરાત્રી એ દેશ વિદેશમાં ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ બની છે. નવરાત્રી એ શક્તિ-ભક્તિ, આધ્યાત્મિક, ઉત્સાહ અને ઉત્સવનું પ્રતિક છે. લોકો શરીર-મન-હ્ય્દયથી નવદુર્ગાની આરાધના કરતાં હોય છે. કોંગ્રેસ હંમેશા દેશની સંસ્કૃતિ, પરંપરા અને સભ્યતાની વિરુદ્ધમાં જ રહીને વિવાદ ઊભો કરવાનો કેમ પ્રયાસ કરે છે તે સમજાતું નથી. કોંગ્રેસ જેએનયુમાં દેશવિરોધી, માનવતા વિરોધી અને સંસ્કૃતિ વિરોધી કાર્યક્રમોનો કોંગ્રેસ વિરોધ કરતું નથી અને અહીંયા નવરાત્રી વેકેશનનો કોંગ્રેસ વિરોધ કરીનેવિવાદ ઊભો કરવાની કોશિશ કરે છે.

(12:19 am IST)