Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

થરાદના મહાજનપુરા પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જતા ભાચરના યુવાન દિનેશ ચૌધરીનું કરૂણમોત

પાઇપ લાઈનમાં સફાઈ કરવા જતાં લપસી જતાં નહેરમાં ગરકાવ

 

થરાદના મહાજનપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં ભાચર ગામના દિનેશભાઇ ચૌધરી નામનો ૨૦ વર્ષીય ખેડુત સાંજના સુમારે નહેરમાં મુકેલી પાઇપ લાઈનમાં સફાઈ કરવા જતાં લપસી જતાં નહેરમાં ગરકાવ થવા પામ્યો હતો

   . બનાવ અંગે જાણ કરાતાં નગરપાલિકાના તરવૈયા સુલતાનમીર અને રેસ્ક્યુ ટીમ દ્રારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.દરમ્યાન ભારે જહેમત બાદ  દિનેશભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો.જે તેના વાલીવારસને સોંપવામાં આવ્યો હતો.

  બનાવ અંગે રેકર્ડ પર કોઇ નોંધ નહી હોવાનું પોલીસસુત્રોએ જણાવ્યું હતું.જ્યારે નર્મદા નહેરમાં ડુબી જવાના કારણે વધુ એક ખેડુતનું મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી.

(12:02 am IST)