Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

અમદાવાદ IIMના ડાયરેક્ટર તરીકે પ્રો. એરોલ ડિસોઝાની નિમણૂક

અમદાવાદ : IIMના ડાયરેક્ટર તરીકે પ્રોફેસર એરોલ ડિસોઝાની નિમણૂક કરવામાં આવી છે. સપ્ટેમ્બરમાં આઈઆઈએમ-એના ઈનચાર્જ ડાયરેક્ટર તરીકે પ્રો. એરોલ ડિસોઝાની નિમણૂક કરવામાં આવી હતી. આ અંગેની જાહેરાત આઈઆઈએમ બોર્ડના ચેરમેન કુમારમંગલમ બિરલા દ્રારા કરવામાં આવી છે.

પ્રો. ડિસોઝા ઈકોનોમિક્સ વિષયના પ્રોફેસર છે અને આઈઆઈએમ-એમાં ડીન તરીકે કાર્યરત છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પ્રો. ડિસોઝાને કામચલાઉ રીતે ઈનચાર્જ ડીનનો કાર્યભાર સંભાળવાનુ કહ્યા પછી તેમણે આ જવાબદારીનો સ્વીકાર કર્યો હતો.

(12:43 am IST)