Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

જામનગરના સહકારી ક્ષેત્રના દિગ્ગજ આગેવાન- કાલાવડ લોહાણા મહાજન પ્રમુખ દિલીપભાઈ નથવાણીનું નિધન

સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામહ મનાતા દિલીપભાઈના નિધનથી ઘેરો શોક

જામનગરમાં સહકારી ક્ષેત્રે વર્ષોથી આગવી નામના ધરાવતા અને કાલાવડ લોહાણા મહાજન પ્રમુખ દિલીપભાઈ નથવાણીનું આજે નિધન થયું છે દિલીપભાઈ દાયકાઓથી સહકારી ક્ષેત્રમાં ખુબ આગળ પડતા હતા અને તેવોને સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામહ પણ કહેવાતા હતા, સાથે જ તેવો જામનગર ડીસ્ટ્રીક બેન્કના વર્ષોથી ડીરેક્ટર તરીકે ચુંટાઇ આવીને પોતાનો દબદબો અકબંધ રાખ્યો હતો, દિલીપભાઈના નિધનથી સહકારી ક્ષેત્ર અને કાલાવડ સહિતના લોહાણા સમાજને મોટી ખોટ પડશે.નથવાણી પરિવાર પર આભ તૂટી પડ્યું છે , 

અત્રે ઉલ્લેખનીય છે કે દિલીપભાઈનો તાજેતરમાં જ કોરોના રીપોર્ટ પોજીટીવ આવ્યા બાદ તેવો સારવાર લઈને ઘરે પરત થઇ અને આરામ કરી રહ્યા હતા, દરમિયાન તેમની તબિયત લથડતા તાત્કલિક સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિધન થયું છે.

(11:23 pm IST)