Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયિક અને સ્વતંત્ર રીતે યોજાય તે માટે રજુઆત કરાઇ

કોંગ્રેસ દ્વારા રાજ્ય ચૂંટણી પંચના કમિશ્નરને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી મુક્ત ન્યાયિક અને સ્વતંત્ર રીતે યોજાય તે માટે અમિતભાઇ ચાવડા, પરેશભાઇ ધાનાણી, લાખાભાઇ ભરવાડ સહિતના કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ દ્વારા  રાજ્ય ચૂંટણી પંચના કમિશ્નરને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી.
    કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયિક અને સ્વતંત્ર રીતે યોજાઇ તે માટે રાજ્ય ચૂંટણી પંચના કમિશ્નરશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. તેમ વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે જણાવ્યું હતુ.

(6:56 pm IST)