Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

એબીવીપી વિરમગામ શાખા દ્વારા સ્વામિ વિવેકાનંદજીની પ્રતિમાનું રંગ કામ કરાવવા માંગણી - વિરમગામ મામલતદારને આવેદન પત્ર આપીને રજુઆત કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરમગામ શાખા દ્વારા યુવાનોના પ્રેરણાસ્ત્રોત શ્રી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું રંગ કામ કરાવવા માટે માંગણી કરવામાં આવી હતી

 . વિરમગામના ગોલવાડ દરવાજા પાસે આવેલ શ્રી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ધણા સમયથી કોઈ કારણોસર જાખી પડી ગઇ હોવાથી પ્રતિમાનું રંગ કામ કરવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરમગામ શાખા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

(6:17 pm IST)