Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

પાટણ રેલવે સ્ટેશન નજીક દબાણ અંગે કરેલ ફરિયાદને ધ્યાનમાં ન લેવાતા શખ્સે આત્મવિલોપનની ચીમકી આપી

પાટણ:શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ રામજી મંદિરની બાજુમાં રહેતા ચંદુજી અમુજી ઠાકોર ના રહેણાંક વિસ્તારમાં રામજી મંદિરના પુજારી અને  ઇસમો દ્વારા ચંદુજી ઠાકોરની અવરજવરની જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી દિવાલ બનાવી દેતા આ બાબતે જિલ્લા કલેકટર પ્રાંત અધિકારીમામલતદાર અને નગરપાલિકામાં અનેકવાર રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઇ ઉકેલ ના આવતા ત્યારે આજે આ બાબતે અરજદાર ચંદુજી ઠાકોર અને તેમના ભાઇએ મંદિરના પુજારી અને અન્ય ઇસમોને દિવાલ હટાવી લેતા વિનંતી કરી હતી પરંતુ તેમણે આ ઇસમની વિનંતી ધ્યાનેના લેતા ઇસમે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી આગ લગાવી દીધી હતી. અને ઉભી બજાર ડોટ લગાવી હતી ઘટનાને લઇને ભયનો માહોલ સર્જાઇ જવા પામ્યો હતો અને આજુબાજુના રહીશોએ ઇસમને બચાવવા માટેતેની પાછળ દોડયા હતા. જેને રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડીને આગ ઓલવવામાં આવી હતી. અને ખાનગી વાહન મારફતે શહેરના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો ઘટનાને લઇને વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

(5:10 pm IST)