Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

રાજપીપળા મિત ગ્રૂપના અગ્રણી જતીનભાઈના સ્વ.પત્નીની યાદમાં નર્મદા પરિક્રમા વાસીઓને ધાબળાનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળાના સેવાભાવી મિતગ્રુપના જતીનભાઈના ધર્મપત્નીનું એક વર્ષ પહેલાં દુઃખદ અવસાન થયું હતું જેને આજે એક વર્ષ પૂર્ણ થતા તેમની યાદમાં મિતગ્રુપ દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓને ગરમ ધાબળા તથા બિસ્કિટ વિતરણ કરી તેમની દિવ્ય આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી. તથા સાધુ સંતો દ્વારા પણ તેમની દિવંગત આત્મા માટે ભગવાન ને પ્રાર્થના કરવામાં આવી હતી.
 

(11:09 pm IST)