Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ગૌમાતાને બચાવવા સંજય આહીરે દ્વારકાથી દિલ્હી સાયકલ યાત્રા યોજી:ડીસામાં પહોંચ્યો

ડીસા :ગૌમાતાને બચાવવા દ્વારકાનો રહેવાસી આહીર સંજય ચેતરિયાએ દ્વારકાથી દિલ્લી સુધીની સાયકલ યાત્રા યોજી છે. નવમા દિવસે આજે તે ડીસા ખાતે આવી પહોંચ્યો હતો સંજય આહીર ગૌ માતાને બચાવવા માટેના આઠ મુદ્દાઓ સાથે સાયકલ યાત્રા પર નીકળ્યો છે.  

   ભારતમાં ગાયો માટે અલગ કાયદો, કતલખાના બંધ કરવા. ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવી. અને વિદેશી ગાયને લાવવા પર પ્રતિબંધ લાવવો સહિતના મુદ્દાઓને લઇને સાયકલ યાત્રા પર નીકળ્યો છે

 

(8:21 pm IST)