Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

વિરમગામના શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરથી સોમનાથ મહાદેવ સુઘી સાયકલ સંઘ યાત્રાનુ પ્રસ્થાન કરાવાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિરેથી સોમનાથ મહાદેવ બુધવારે સવારે સાયકલ યાત્રા સંઘ નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.  સિધ્ધનાથ મહાદેવ મંદિરે ધજા ચડાવી સાયકલ યાત્રા સંઘ સોમનાથ મહાદેવના દર્શનાર્થે રવાના થયો હતો. બુધવારે સાયકલ યાત્રા સંઘ સોમનાથ મહાદેવના મંદિરે ધજા ચઢાવી દર્શન કરી વિરમગામ પરત ફરશે

(10:25 pm IST)