Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદમાં આગમન

એરપોર્ટ પર રાજ્યપાલ ,મુખ્યમંત્રી અને ગૃહપ્રધાને કર્યું સ્વાગત :રાજભવનમાં કરશે રાત્રી રોકાણ

 

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાત આવી પહોંચ્યા છે આજે રાત્રે . 9-30 વાગ્યે પીએમ મોદીનું  અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , રાજ્યપાલ .પી.કોહલી, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું . પીએમ મોદીએ અમદાવાદ એરપોર્ટથી સીધા રાજભવન જવા રવાના થયાં અને રાજભવનમાં તેઓ રાત્રી રોકાણ કરશે.

  આવતીકાલે સવારે 7-45 કલાકે તેઓ કેવડીયા જવા નીકળશે. સવારે 9 વાગ્યે તેઓ કેવડિયા પહોંચશે. તેઓ પહેલા વેલી ઓફ ફ્લાવર્સના કાર્યક્રમમાં જોડાશે. બાદમાં 9-35 વાગ્યે ટેન્ટ સીટી પહોંચશે. 10 વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમ સ્થળે પહોંચશે. લગભગ બે કલાક સુધી કાર્યક્રમ ચાલશે. જે બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થશે.

(11:31 pm IST)