Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

મહુધામાં નરાધમે પ્રજ્ઞાચક્ષુ યુવતીને હવસનો શિકાર બનાવી: જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર

મહુધા: તાલુકાના ઓધવજીની મુવાડીના નરાધમે પ્રજ્ઞાચક્ષુ યુવતી ઉપર દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે મહુધા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહુધા તાલુકાના ઓધવજીની મુવાડી તાબે મહીસા ગામે જન્મજાત સંપૂર્ણ અંધ યુવતી (ઉં.વ.૩૨) તેની માતા સાથે રહે છે. આ યુવતી જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હોઈ તેમજ તેણીની એકલતાનો લાભ ઉઠાવી ગત ૨૭મી તારીખના રોજ મહેન્દ્રભાઈ ઉર્ફે મનીયો રામુભાઈ પરમારે નમકીનનું પેકેટ ખાવા માટે આપ્યું હતું. અને આ યુવતીના અંધાપાનો લાભ ઉઠાવી તેણીને સીમમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં યુવતીને જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી તેમજ ગમે તેમ ગાળો બોલી યુવતીને બે-ત્રણ લાફા મારી દીધા હતા.
આ અંગે મહુધા પોલીસે મહેન્દ્રભાઈ ઉર્ફે મનીયો રામુભાઈ પરમાર (રહે. ઓધવજીની મુવાડી) સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:50 pm IST)