Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

કપડવંજ: મહિલાની લાશ સીમમાંથી મળી આવતા પોલીસે હત્યાનો ભેદ ઉકેલવાની કામગીરી હાથ ધરી

કપડવંજ: તાલુકાના મોટી ઝેરની દેવીપૂજક મહિલાની હત્યા કરી ફેંકી દીધેલ લાશ નીરમાલી સીમમાં આવેલા દિવેલાના ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ શ્રમજીવી મહિલાની કોણે હત્યા કરી અને કયા કારણસર હત્યા કરવામાં આવી તે અંગે તરેહ-તરેહની ચર્ચાઓ થઈ રહી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના નીરમાલીમાં રહેતા કિરણભાઈ દેવીપૂજકની બહેન સંગીતાબેન દેવીપૂજકના લગ્ન મોટીઝેરમાં રહેતા મુકેશભાઈ ધમાભાઈ દેવીપૂજક સાથે થયા હતા. તેમના લગ્ન જીવન દરમ્યાન બે દીકરા અને દીકરીનો જન્મ થયો હતો. મુકેશભાઈની પત્ની અને પરિવારજનો દહેગામમાં મગફળીની મજૂરી કામે જાય છે પરંતુ ગઈકાલે કોઈ કારણસર સંગીતાબેન મજૂરી કામે ગઈ ન હતી. બીજી બાજુ આજે સવારે મુકેશભાઈ સવારે ચા-પાણી કરી દહેગામ મજૂરી કામે જવા નીકળ્યો હતો. આ દરમ્યાન નીરમાલીથી લાલપુર સીમમાં હસમુખભાઈ જોઈતાભાઈ પટેલના દિવેલાના ખેતરમાંથી એક મહિલાની મોંઢે સાડી બાંધેલ હાલતમાં હત્યા કરી ફેંકી દીધેલ લાશ મળી આવી હતી. આ વાત વાયુવેગે પ્રસરી થતા લોકોના ટોળેટોળા સીમમાં ઉમટી પડ્યા હતા. 

(5:47 pm IST)