Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સરકાર સામે છોટુ વસાવાનો મોરચો :કાલે અંબાજીથી ઉમરગામ વચ્ચેના તમામ ગામના લોકો કરશે ઉપવાસ

સરકાર મોટા તાયફા કરવાના બદલે પહેલા આદિવાસીઓના હક્કની વાત કરે

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરનાર છે ત્યારે પીએમ મોદીના કાર્યક્રમ પહેલા ધારાસભ્ય છોટુ વસાવાએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. છોટુ વસાવાએ જણાવ્યુ કે, સરકારના વિરોધમાં આવતી કાલે અંબાજીથી ઉમરગામ વચ્ચે આવેલા તમામ ગામના લોકો ઉપવાસ કરશે.

 

  વસાવાએ વધુમાં કહ્યુ કે, અમારો વિરોધ સરદાર સામે નથી પણ સરકારની વિરૂદ્ધમાં છે. સરકાર મોટા તાયફા કરવાના બદલે પહેલા આદિવાસીઓના હક્કની વાત કરે, ત્યારે છોટુ વસાવા સાથે વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીત અને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી પણ જોડાયા હતા.

(12:31 pm IST)