Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત પસાર : સભ્યોએ હાથ ઊંચો કર્યો અને પ્રમુખ બરખાસ્ત

બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાઈ હતી. જો કે કોંગ્રેસના ત્રણ સભ્યો ગેરહાજર રહ્યા હતાં. કોંગ્રેસના 18 જેટલા સભ્યોએ વર્તમાન પ્રમુખ વર્ધિલાલ મકવાણા સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.
  આજે બપોરે તાલુકા પંચાયત કચેરી ખાતે મીટીંગ હોલમાં સભા મળી હતી. જેમાં કાંકરેજ તાલુકાના 27 સભ્યો હાજર રહ્યા હતા. 26 સભ્યોએ હાથ ઊંચો કરી અવિશ્વાસ પસાર કરવા સંમતિ આપી હતી જ્યારે દરખાસ્ત મંજૂર ન થાય તે માટે પ્રમુખ વર્ધિલાલ મકવાણાએ ફક્ત એક મત આપ્યો હતો.
   પ્રમુખ તરીકે નવો ચહેરો કોણ આવશે તે અંગે સસ્પેન્સ યથાવત્ છે.પરંતુ ઠાકોર સમાજના વધુ ડેલીગેટ હોવાથી પ્રમુખ તરીકે દાવેદારી ઠાકોર કરશે તેવી સંભાવના છે.આવતી કાલે ગુજરાત હાઈકોર્ટેમા આ બાબતે ચુકાદા ઉપર સૌ કોઈની નજર રહેશે.

(11:00 pm IST)