Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી 1 નવેમ્બરથી જાહેર જનતા માટે મુકાશે ખુલ્લુ: ઓનલાઇન બુકિંગ થયું શરૂ

અમદાવાદ :સરદાર જયંતિ એટલે કે 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'નું લોકાર્પણ કરવામાં આવશે. જાહેર જનતા માટે 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' 1 નવેમ્બરના રોજ ખુલ્લુ મુકવામાં આવશે. તેની સાથે સાથે રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા ટીકીટ માટે www.soutickets.in નામની વેબસાઇટ અને મોબાઇલ એપ પર ટિકિટ બુકિંગ કરાવી શકાશે. કેવડિયા ખાતે પણ ટીકિટ મળશે.

(9:56 pm IST)