Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ગુજરાત જાગીરદાર ક્ષત્રિય સમાજના પ્રમુખ ભરતસિંહ બીહોલા આમ આદમી પાર્ટીમા જોડાયા

પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી , મહેશ સવાણી , હસમુખ પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વિધિવત પ્રવેશ

રાજકોટ તા.૩૦ આજરોજ ગાંધીનગરમાં ગુજરાત  જાગીરદાર ક્ષત્રિય સમાજના પ્રમુખ  ભરતસિંહ બીહોલા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા  ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા  મહેશ સવાણી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી  હસમુખ પટેલ, અને આમ આદમી પાર્ટી ગાંધીનગર જિલ્લા પ્રમુખ  મુકેશ પટેલ અને આમ આદમી પાર્ટી ગાંધીનગર શહેર પ્રમુખ  જીતેન્દ્ર ધરવાડિયા ની હાજરીમાં AAPમાં જોડાયા છે.

 ભરતસિંહ બીહોલા અનેક પ્રકારની સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે. ભરતસિંહ બીહોલા નું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરાયુ છે.

શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, ખેતી, વીજળી, પાણી, વેપાર અને ભ્રષ્ટાચારમુક્તિના મુદ્દે વ્યવસ્થા પરિવર્તન કરવા ગુજરાતના ખુણે ખુણેથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેમ તુલી બેનર્જી સ્ટેટ મીડિયા ઇન્ચાર્જ

આમ આદમી પાર્ટી-ગુજરાત એ જણાવ્યું છે.

(1:10 pm IST)