Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

રાજ્યમાં કોરોનાનો કહેર :નવા 1390 પોઝિટિવ કેસ:વધુ 11 લોકોના મોત : કુલ કેસનો આંક 1,37,394 થયો :વધુ 1372 દર્દીઓ ડિસ્ચાર્જ થતા કુલ 1,17,231 લોકોએ કોરોનાને હરાવ્યો

સૌથી વધુ સુરતમાં 298 કેસ, અમદાવાદમાં 187 કેસ,રાજકોટમાં 151 કેસ,વડોદરામાં 133 કેસ,જામનગરમાં 92 કેસ, મહેસાણામાં 41 કેસ,બનાસકાંઠામાં 37 કેસ,ગાંધીનગરમાં 41 કેસ,પંચમહાલમાં 32 કેસ,અમરેલી- પાટણમાં 30-30 કેસ, ભાવનગરમાં 43 કેસ,ભરૂચમાં 24 કેસ નોંધાયા જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આજે  નવા 1390 પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,37,394 થઇ છે  આજે વધુ  1372 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,17,231 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3453 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 1390 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3453 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16710 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 86 દર્દીઓ છે જ્યારે 16624 દર્દીની હાલ સ્ટેબલ છે.

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 1, કચ્છમાં 1,મહેસાણામાં 1,રાજકોટ કોર્પોરેશનમાં 1 મળીને કુલ 11  લોકોના મોત થયા હતા.

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના 1390 પોઝિટિવ કેસમાં સૌથી વધુ સુરતમાં 298 કેસ, અમદાવાદમાં 187 કેસ,રાજકોટમાં 151 કેસ,વડોદરામાં 133 કેસ,જામનગરમાં 92 કેસ, મહેસાણામાં 41 કેસ,બનાસકાંઠામાં 37 કેસ,ગાંધીનગરમાં 41 કેસ,પંચમહાલમાં 32 કેસ,અમરેલી- પાટણમાં 30-30 કેસ, ભાવનગરમાં 43 કેસ,ભરૂચમાં 24 કેસ  નોંધાયા

(7:30 pm IST)