Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અંબાજી નજીક ત્રિશુલીયા ઘાટ પાસે લકઝરી બસ પલ્ટી ખાતા 21 લોકોના કરૂણમોત :મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ચાચરચોકમાં ગરબા કાર્યક્રમ રદ

મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે માં અંબાની આરતી બાદ મૌન પાળવામાં આવશે

 

બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ત્રિશુલીયા ઘાટ પાસે ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ પલટી જતાં 21થી વધુ લોકોના કરૃણમોત નિપજ્યા છે  અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલી બસ પલ્ટી ખાતા આશરે 21થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઘટનાને પગલે ઠેર ઠેર લોકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે ત્યારે મૃતકોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે અંબાજીના ચાચરચોકમાં ગરબા કાર્યક્રમ રદ કરાયો છે

  આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે માં અંબાની આરતી બાદ મૌન પાળવામાં આવશે અને ગરબાનો કાર્યક્રમ રદ જાહેર કરવામાં આવ્યો છે.આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી નવયુવક પ્રગતિ મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

(12:36 am IST)