Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

કેડિલા ફાર્મા કંપનીના માલિકનો ઘરેલૂ વિવાદ પહોંચ્યો પોલીસ સ્ટેશન

માલિક રાજીવ મોદી પર પત્નીએ માર મારવાનો અને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો

અમદાવાદ તા. ૩૦ : કેડીલાનાં માલિક રાજીવ મોદી પર પત્નીએ માર મારવાનો અને શારીરિક માનસિક ત્રાસ આપતાં હોવાનો આરોપ લગાવ્યો છે. રાજીવ મોદીની પત્નીએ પતિ વિરુદ્ઘ સોલા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાજીવ મોદીનાં નિવાસસ્થાને પહોંચીને વધુ તપાસ કરી હતી. ત્યાર બાદ રાજીવ મોદીને પોલીસ સોલા પોલીસ સ્ટેશન વધુ તપાસ માટે લઈ આવી હતી.

મહત્વનું છે કે નાના-મોટા ઝઘડાઓ તો માત્ર સામાન્ય પરિવારમાં જ થાય છે એવું નથી. મોટાં મોટાં પરિવારોમાં પણ ઘરેલુ હિંસાનાં બનાવો બનતા હોય છે. તેવી જ રીતે દેશની એક જાણીતી કેડીલા કંપનીનાં માલીક રાજીવ મોદીની પત્નીએ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ બંગલામાં પોતાનાં પતિએ માર માર્યો હોવાની ફરીયાદ સોલા પોલીસ સ્ટેશનમાં કરતાં ભારે ઉહાપોહ મચી ગયો છે. જો કે અગત્યની બાબત તો એ છે કે કેડિલાનાં માલિકની પૂછપરછ બાદ તેઓની ધરપકડ થવાની શકયતા સેવાઇ રહી છે.

(10:29 am IST)