Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

સુરતના સિંગણપોર રોડ નજીક સાળાને બચાવવા ગયેલ બનેવી પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો

સુરત: શહેરના સિંગણપોર લિંક રોડ ખોડીયાર ગેરેસ પાસે ગતરાત્રે સાળાને સ્થાનિક ચાર યુવાનો મારતા હોય છોડાવવા વચ્ચે પડેલા બનેવીને ચારેયે ઢોર માર મારી પેટછાતી અને પગના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી ભાગી ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સિંગણપોર બાપા સીતારામ મંદિર પાસે બજરંગ સોસાયટીમાં રહેતો અને મજૂરીકામ કરતો 24 વર્ષીય સુનિલ મુરલીધર નંદનવર ગતરાત્રે નવ વાગ્યે સિંગણપોર લિંક રોડ અગિયાર છાપરી મહારાજા ટી સ્ટોલની સામે ખોડીયાર ગેરેજ પાસે બેઠો હતો તે વખતે તેના સાળા કિશનને મહોલ્લામાં રહેતા કેતન વામન આહિરેભાવેશ રાઠોડહેમંત સુરેશ પટેલ અને વિજય ધના પરમાર કોઈકે બાબતે ઝઘડો કરી માર મારતા હતા. આથી સુનિલ સાળા કિશનને છોડાવવા માટે વચ્ચે પડયો હતો. જોકે,ચારેયે સુનિલને પણ ઢીકમુક્કીનો માર માર્યા બાદ છાતીપેટ અને પગના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી જીવલેણ ઇજા પહોંચાડી હતી અને ફરાર થઇ ગયા હતા.

(5:22 pm IST)