Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

સાબરકાંઠાના તલોદ મહિયલ ગામના દશામાંની મૂર્તિ વિસર્જન વેળાએ તળાવમાં ડૂબી જતા યુવકનું મોત

ફાયર બ્રિગેડ દ્વારા યુવકના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો

સાબરકાંઠાના તલોદ મહિયલ ગામના દશામાંની મૂર્તિ વિસર્જન કરતા સમયે યુવક તળાવમાં ડૂબ્યો હતો. યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત થતા યુવકનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. બીજી બાજુ ફાયર બ્રિગેડ દ્વારા યુવકના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

(1:35 pm IST)