Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

તાપીના સોનગઢમાં પત્નીની હત્યા કરી લાશ ઘરમાંજ દાટી દીધી હોવાનો ભેદ ખુલ્યો

તાપી:જિલ્લાના સોનગઢના સરજામલી ગામેથી ૧ મહિના પહેલાં ગુમ થયેલી પરિણીતાની લાશ આજે સોનગઢના સીલેટવેલ ગામે બીજા પતિના ઘરમાંથી દાટેલી મળી આવી હતી. બીજા પતિએ લાશને ૧ માસથી જમીનમાં દાટી દીધી હતી. બીજા પતિને પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ બાદ હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ આદરી છે. લાશને પોસ્ટમોર્ટમ માટે સુરત એફ.એસ.એલ.માં મોકલવામાં આવી હતી. સૂત્રો તથા પોલીસ પાસે મળેલી માહિતી મુજબ સોનગઢ તાલુકાના સરજામલી ગામની પરિણીતા કમલાબેન (ઉ.વ. ૪૦) ૧ માસ પહેલા તેના પતિને તથા ૨ પુત્રો અને ૧ પુત્રીને મુકી સોનગઢના સીલેટવેલ ગામે મોટાફળિયામાં રહેતા અને મજુરી કરતા સુરેશ હનજીભાઇ  ગામીત (ઉ.વ. ૩૫)ને ત્યાં પત્ની તરીકે  રહેવા  ચાલી ગઇ હતી. લગ્ને-લગ્ને કુંવારા એવા સુરેશ ગામીતની આ ત્રીજી પત્ની હતી. ૧ માસથી ઘર છોડીને ગયા બાદ માતાનો કોઇ ફોન નહીં આવતા પુત્રો ચિંતિત થયા હતા અને સુરેશ ગામીતને ફોન કરતા તે જણાવતો કે, કલાબેન તો સરજામલી પાછા જતા રહ્યાં હતાં પરંતુ માતા ઘરે નહીં આવતા આજે પુત્ર લાજરશ બાલજી વસાવા બપોરે સુરેશના ઘરે ગયો હતો પણ સુરેશે  ગોળ-ગોળ વાત કરી હતી. દરમિયાન લાજરશે ઘરના રસોડામાં જઇ જોતાં એક ખૂણામાં ખોદકામ થયું હોવાનું જણાયું હતું અને તેના  ઉપર ખાટલો મુકેલો હતો. જેથી શંકા જતાં જાતે જ પુત્રએ ત્યાં ખોદકામ કરતા દુર્ગંધ મારીત માતાની લાશ મળી આવી હતી.

 

 

(3:43 pm IST)