Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

રાજ્યમાં હજી પણ 1.84 કરોડ લોકો નિરક્ષર:વસતી ગણતરીના આંકડા પરથી ફલિત થયું

અમદાવાદ :ગુજરાતમાં વસતી ગણતરીના આંકડા પરથી ફલિત થાય છે કે નિરક્ષર લોકો આજે પણ મોજૂદ છે. રાજ્યની વસતી 6.04 કરોડ પૈકી 4.10 કરોડ લોકો સાક્ષર છે એટલે કે 1.84 કરોડ લોકો હજી નિરક્ષર છે.

   રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં 2.14 કરોડ લોકો સાક્ષર છે જ્યારે શહેરી વિસ્તારમાં 1.96 કરોડ સાક્ષર છે. ગુજરાતમાં પુરુષોમાં 82.14 ટકાની સરખામણીએ સ્ત્રીઓમાં 65.46 ટકા સાક્ષરતા દર છે.

(2:37 pm IST)