Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ઝઘડિયામાં જીવંત વીજ વાયર પડતા ખેતરમાં કામ કરતા મજૂરનું મોત

ઝઘડીયાના ખેતરમાં કામ કરતા મજુર પર વીજકંપનીનો જીવંત વાયર તૂટીને તેના પર પડતા કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું.

ઝઘડીયાનો રહેવાસી પાંચીયાભાઇ છોટુભાઇ વસાવા ખેતમજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તે મોટાસાંજા વગાના ખેતરમાં કામ કરતો હતો ત્યારે ખેતરમાંથી પસાર થતી વીજકંપનીની લાઇનનો જીવંત વાયર તૂટીને પડયો હતો. વાયર તૂટી ખેતરમાં કામ કરતા પાંચીયાભાઇ પર પડતા તેને કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું.

 ઘટનાની ફરીયાદ તેના ભાઇ રમેશભાઇ છોટુભાઇ વસાવાએ ઝઘડીયા પોલીસ મથકમાં કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:51 pm IST)