Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

શાહીબાગ : જુગારધામમાંથી ૧૨ ખેલીઓને ઝડપી લેવાયા

મંદીમાં પણ જુગારધામોમાં ધમધમાટ

અમદાવાદ, તા. ૩૦ : કોરોના મહામારીને લીધે ઊભી થયેલી આર્થિક તંગી અને વાયરસના સંક્રમણના ભયના લીધી જનજીવન બરોબર પાટા પર ચઢી નથી રહ્યું. લોકોના ધંદા રોજગાર સાવ ખોરવાઈ ગયા છે પણ શહેરોમાં જુગારધામનો ધમધમાટ હજુ પણ યથાવત છે. ખેલીઓ બિન્દાસ્ત જુગારના દાવ રમીને અસામાજિક કૃત્યને અંજામ આપી રહ્યા છે. દરમિયાન પોલીસે આવા તત્વો સામે લાલ આંખ કરતા અમદાવાદની શાહિબાગ થાકેની નીલકંઠની ચાલીમાંથી જુગારધામમાંથી ૧૨ ખેલીઓને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે માહિતીના આધારે સ્થળ પર દરોડો પાડીને જુગાર રમતા ૧૨ જણાને ઝડપી લઈ તેમની પાસેથી રોકડ, મોબાઈલ અને વાહન સહિત ૮૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવહી હાથ ધરી છે.

(7:47 pm IST)