Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

જ્યોતિષ આચાર્યો મુજબ ૫.૦ લોકડાઉન મહત્વપૂર્ણ

પંચક યોગમાં લોકડાઉન શરૂ થશે

અમદાવાદ,તા.૩૦ : આગામી ૧લી જુનથી શરૂથનાર પાંચમુ લોકડાઉન કોરોના મહામારી માટે મંગલમય સાબિત થશે. તેવો આશાવાદ જ્યોતિષોએ વ્યક્ત કર્યો છે. ભારતીય જનતા જ્યોતિષ શાસ્ત્રમાં ઊંડો રસ અને માન્યતા ધરાવે છે. કોરોનાના અભૂતપૂર્વ સંકટકાળમાં લોકો લોકડાઉન અને જ્યોતિષ શાસ્ત્રને સાંકળીને શુભ મંગલની કામના કરી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર સાથે સંકળાયેલ અનેક જ્યોતિષોનું માનવું છે કે લોકડાઉન ૧.૦ ૨૪મી માર્ચ ૨૦૨૦ના રોજના દિવસે પંચક હતું. જ્યોતિષચાર્યોની માન્યતા મુજબ પંચકમાં શરૂ થયેલ લોકડાઉન પાંચ વખત પુનરાવર્તન પામે તો તેનાથી શુભ પરિણામ કોરોના મહામારીમાં આવશે. આ આશયથી પાંચમુ લોકડાઉન લોકોની સુખાકારી માટે મહત્વપૂર્ણ બની રહેશે.

(10:08 pm IST)