Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

બેન્કો MSME એકમોને આવશ્યકતા મુજબ લોન-સહાય આપીને પૂનઃવેગવંતુ બનાવવાનું દાયિત્વ નિભાવેઃ વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા મથકોએ બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજરઓ, MSME એકમોના સંગઠનોના પદાધિકારીઓ સાથે કાર્યયોજનાનું સામૂહિક મંથન-ચિંતન

રાજકોટ, તા. ૩૦ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-19 કોરોના વાયરસની સ્થિતી પછી ઉદભવનારી આર્થિક-ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્ત્।મ લાભ રાજયના MSME એકમો ઉઠાવી આપત્ત્િ।ને અવસરમાં પલટવાની ગુજરાતની ખૂમારી ફરી ઝળકાવે તેવું આહવાન કર્યુ છે.

તેમણે આ સંદેર્ભમાં બેન્કોને પણ અનુરોધ કર્યો કે, MSME એકમોને આવશ્યકતા મુજબ બેન્ક લોન-સહાય આપીને આ સેકટરને પૂન: વેગવંતુ બનાવવાનું દાયિત્વ નિભાવે

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજયના જિલ્લામથકોએ ઉપસ્થિત રહેલા બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજરશ્રીઓ, MSME એકમોના સંગઠનોના પદાધિકારીઓ સાથે ઊદ્યોગ-વેપાર ક્ષેત્રને ફરી એ જ ગતિએ ધબકતા કરવાની કાર્યયોજનાનું સામૂહિક મંથન-ચિંતન કર્યુ હતું.

 નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ પણ આ કોન્ફરન્સમાં જોડાયા હતા

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારત સરકારે પણ કોવિડ-19¨À સ્થિતીમાં વેપાર-ઊદ્યોગ-નાના-લદ્યુ ઊદ્યોગોને બેઠા કરવા જે ર૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે તેમાં ૩.પ૦ લાખ કરોડનું પેકેજ MSME માટે આપ્યું છે

 MSME એકમોને કોલેટરલ ફ્રી લોન આપવાની પણ ભારત સરકારે જાહેરાત કરી છે તેનો મહત્ત્।મ લાભ ગુજરાતના MSME એકમોને મળે તે માટે તેમણે બેન્કર્સને પ્રો-એકટીવ થવા સૂચન કર્યુ હતું

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ૩૩ લાખથી વધુ MSME એકમો દ્વારા દોઢ કરોડથી વધુ લોકોને રોજગારી મળે છે તેમજ આવા MSME એકમોનો રિકવરી રેટ ૯પ ટકાથી પણ વધારે છે

 તેમણે બેન્કર્સને એવો પણ અનુરોધ કર્યો કે, રિઝર્વ બેન્કે રેપોરેટ દ્યટાડયો છે તેમજ લીકવીડીટી (તરલતા) ફેસિલીટી વધુ વ્યાપક બનાવી છે ત્યારે રાજયના MSME એકમોને પણ વધુ સરળતાએ લોન-સહાય મળે તો આપણે વિકાસની રફતાર વેગવંતી બનાવી શકીશું

મુખ્યમંત્રીશ્રીએ MSME કમિશનરેટ, સિંગલ વિન્ડો સિસ્ટમ વગેરે દ્વારા બેન્ક અને MSME વચ્ચે સરકાર સેતુરૂપ બનશે એમ પણ જણાવ્યું હતું

મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસે આ કોન્ફરન્સનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.

(3:12 pm IST)