Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા સાયકલ પર સવાર થઈને રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા

પ્રદુષણનું પ્રમાણ ઘટે અને ભારતની જનતાનું સ્વાસ્થ પણ સારુ રહે તે માટે સાયકલ સવારી

નવી દિલ્હી ;લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતી બાદ નરેન્દ્રભાઈ મોદી ફરીવાર વડાપ્રધાનપદના શપથ લઇ રહ્યાં છે રાષ્ટ્રપતિ ભવનમાં શાહી શપથ સમારોહ યોજાયો છે ત્યારે મનસુખ માંડવિયા સાયકલ પર સવાર થઇને શપથ લેવા માટે રાષ્ટ્ર્પતિ ભવન પહોંચ્યા છે . 

સાયકલ લઇને રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેવા માટે પહોંચેલા મનસુખ માંડવિયા એ  જણાવ્યું હતું કે, દેશના લોકોએ સાયકલનો ઉપયોગ કરવો જોઇએ જેથી પ્રદુષણનું પ્રમાણ ઘટે અને ભારતની જનતાનું સ્વાસ્થ પણ સારુ રહે તે માટે મનસુખ માંડવિયા સાયકલ પર સવાર થઇને મોદી સરકારના શપથ સમારોહમાં પહોંચ્યા હતા.

(7:44 pm IST)