Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

ગોધરામાં ગુહ્યા મહોલ્લા વિસ્તારમાં રસ્તા પર બેરીકેટીંગ કરવા ગયેલ પોલીસ પર પત્થરમારો

પીઆઇને ઇજા :ટોળાને વિખેરવા પોલીસે 5 ટીયર ગેસના સેલ છોડ્યા

ગોધરામાં ગુહ્યા મહોલ્લા વિસ્તારમાં રસ્તા પર બેરીકેટીંગ કરવા ગયેલા પોલીસકર્મીઓ પર પત્થરમારો થયો છે. કેન્ટેનમેન્ટ જાહેર કરાયેલા વિસ્તારમાં પોલીસ દ્વારા બેરીકેટીંગનું કામ ચાલી રહ્યું હતુ. સમયે બે વ્યક્તિ સાથે પોલીસનું ઘર્ષણ થયા બાદ પત્થરમારો કરવામાં આવ્યો.

પત્થરમારામાં પીઆઈને સામાન્ય ઈજા પણ પહોંચી છે. ટોળાને વિખેરવા માટે પોલીસે પાંચ ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા અને પરિસ્થિતિ વધુ વણસે તે માટે પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવાયો છે.

(11:18 pm IST)