Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

કોરોનાના વધતા કેસ વચ્ચે અમદાવાદમાં મોટી રાહત : એસવીપી હોસ્પિટલમાંથી 40થી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ

અત્યાર સુધી કુલ 313 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે.

અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. આજે નવા 249 કેસ નોંધાવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 3026 પર પહોંચી ગઈ છે. આ બધા વચ્ચે એક સારા સમાચાર પણ આવ્યા છે. એસવીપી હોસ્પિટલમાંથી એક સાથે 40 કરતા વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઈ રહેલાં 40 કરતા વધુ દર્દીઓને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી કુલ 313 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે.

અમદાવાદમાં અત્યાર સુધી કોરોના વાયરસના 3026 કેસ નોંધાયા છે. જેમાંથી હાલ 2551 એક્ટિવ કેસ છે. 35 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 2516 સંક્રમિતો સ્ટેબલ છે. તો અત્યાર સુધી 149 લોકોના મૃત્યુ થયા છે.

(10:23 pm IST)