Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

'બાપુ'ના સાનિધ્યમાં ઇરફાન આવેલા

સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી

અમદાવાદ તા. ૩૦ : હરફન મૌલા કલાકાર ઇરફાન ખાન હવે દુનિયામાં નથી. કેન્સર સામે લાંબી લડાઇ બાદ ગઇકાલે તેમનું દુઃખદ નિધન થયું હતું. તેઓ ૧૯ જુન ર૦૧૬ ના ફાધર્સ-ડેના દિવસે અમદાવાદ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી.  ચરખો કાંતવાનો પ્રયાસ કર્યોહતો. ત્યારબાદ ટિવટર ઉપર લખ્યું હતું 'ફાધર્સ-ડે વિથ ફાધર ઓફ ધ નેશન' એક ફિલ્મના શુટીંગ દરમ્યાન અમદાવાદ શહેરના જાણીતા વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. ઇરફાન સાથે ઋષી કુપર અને અર્જુન રામપાલ પણ આવ્યા હતા.

(4:16 pm IST)