Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

ડેડીયાપાડાના પાનખલામાં ઝાડ કાપનાર પર કાર્યવાહી કરનાર વન વિભાગના બીટગાર્ડ પર હુમલો : ૪ વિરુદ્ધ ફરિયાદ

 

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જિલ્લા માં વન વિભાગ દ્વારા ઝાડ કાપનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતા વન વિભાગના બીટગાર્ડ સહિતની ટિમ ઉપર હુમલો કરનાર ચાર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર વન વિભાગમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા રવિદભાઇ રમેશભાઇ ગુર્જર (રહે.વાઘ- ઉંમર ફોરેસ્ટ ક્વાર્ટર) આપેલી ફરિયાદ મુજબ તે અને તેમની સાથેના માણસો પાનખલા ગામના છણીયાભાઇ કાતરીયાભાઇ વસાવા તથા ભાદરીયાભાઇ છાણીયાભાઇ વસાવા પાડલનું ઝાડ કાપતા તેમને ઝડપી લઈ તેમની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલી તે બાબતની અદાવત રાખી અમરસીંગ ભાદરીયાભાઇ વસાવા, ખુમાનસીગ ભાદરીયાભાઇ વસાવા,અમીર મીરીયાભાઇ વસાવા તથા સોમીબેન અમીરભાઇ મીરીયા ભાઇ વસાવા તમામ રહે પાનખલ તા. દેડીયાપાડા. તેમને તથા તેમની સાથેના રતિલાલભાઇ લાલજીભાઇ વસાવાને જંગલ માથી તેમની કચેરી ખાતે જતા રસ્તામાં રોકી ફરજમાં રૂકાવટ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તેમને ચારેય ગળાદા પાટુનો માર મારતા બાબતે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ડેડીયાપાડા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:43 pm IST)